તંત્ર માહિતી છૂપાવી રહ્યું છે ! રાજકોટમાં TRP અગ્નિકાંડમાં 27 લોકોના નામની જાહેરાત, 5 મૃતકોની કોઈ માહિતી નહીં 

  • May 26, 2024 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગઈકાલે બનેલા અગ્નિકાંડમાં 32 લોકોએ જીવ ગુમાવ્યા છે. આગ એટલી ભયાનક હતી કે જે પણ લોકોના મૃત્યુ થયા તેની ઓળખ પણ થઈ શકી નથી. જેથી ગઈકાલે રાતે DNA ટેસ્ટ સાથે કામગીરી કરાઈ છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મૃતકોની ઓળખ કરવી શક્ય બનશે. હાલ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી જેવી કે કેટલા લોકોના મોત, કોના મોત સહિતનું જાહેર કરવામાં આવ્યું નથી. આટલી મોટી ઘટનામાં પણ તંત્ર શા માટે મીડિયા સમક્ષ માહિતી છૂપાવી રહ્યું છે તે સવાલ પણ હાલ ઉદ્ભવી રહ્યો છે. હાલ 27 લોકોની યાદી જાહેર થઈ છે. જોકે હજુ 5 લોકોના નામની જાણ કરવામાં આવી નથી. હાલ ઘટનાને લઈને કલેકટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application